ભરુચ થી ૨૫ કિલોમીટર દૂર આવેલ દુધઈ ગામના પાદરે ડૉક્ટર અવિનાશ અને ડૉ અવનિનું ‘અંકુર ફર્ટિલિટિ સેન્ટર’ રોજની જેમ આજેય પ્રવૃત્તિથી ધમધમતુ હતું. ડૉક્ટર અવિનાશ અને અવનિ સાથે જ ભણતા અને તબિબીશાસ્ત્રનું ભણતા ભણતા બન્નેએ પ્રેમશાસ્ત્રના પાઠો ય પાકા કરી લીધા હતા.
અવિનાશ સ્ત્રીરોગના નિષ્ણાત-ગાયનેકોલોજીસ્ટ તો અવનિ હતા રેડિઓલોજીસ્ટ. ડો. અવિનાશ ચાલીસી વટાવી ચુકેલા પણ સુંદર ગોરા અને નમણાશ ભર્યા ચહેરા ના લીધે પોતાના મહિલા દર્દીઓ માં ખુબ જ પ્રિય હતા.
ડો.અવની લગભગ ૩૯ વર્ષ ની આસપાસ ના એક આકર્ષક મહિલા હતા. હમેશા લેબકોટ માં સંતાઈ ને રહેતા તેના શરીર ના માદક વળાંકો ના કાયલ હતા તેમના પતિ ડોક્ટર અવિનાશ. ઉમર ની કોઈ અસર તેમના શરીર પર વર્તાઈ હોય તો તે ફક્ત તેમના ગણ્યા ગાંઠ્યા રૂપેરી વાળ ઉપર અને તે પણ તેમની ઠસ્સાદાર શોભા માં અભિવૃદ્ધિ જ કરતા.
થોડા સમય વડોદરા ની વિવિધ હોસ્પિટલમાં બન્નેએ સેવાઓ આપી. ત્યારબાદ પોતાનું જ ફર્ટિલિટિ સેન્ટર સ્થાપવાનું વિચાર્યું. અવનિએ શહેરથી બહાર કુદરતી વાતાવરણમાં સાવ જ અનોખા પ્રકારના કેન્દ્રની દરખાસ્ત મુકી ત્યારે અવિનાશને થોડી શંકા થયેલ કે પેશન્ટ ત્યાં આવશે કે કેમ? પણ એને અવનિમાં વિશ્વાસ હતો. ભરુચ ના ઝાડેશ્વર રોડ થી લગભગ પચ્ચીસેક કિલોમિટરે દશ એકરની વિશાળ જગ્યા પર આજે એમનું ‘અંકુર ફર્ટિલિટિ સેન્ટર’ દેશનું અગત્યનું સ્ત્રીરોગ નિવારણનું અને સંતાન વિહોણા સ્ત્રી-પુરૂષો માટેનું આશિર્વાદ આપનારું એક યાત્રાધામ બની ચુક્યું હતું.
અત્યાધુનિક સારવાર માટે સર્વે પધ્ધતિ અને સાધનોથી સજ્જ એવા આ સેન્ટરની કેટલીય ખાસિયતો હતી. ડૉ. અવિનાશના માર્ગદર્શન હેઠળ ઈન્વિટ્રો, ટેસ્ટટ્યુબ બેબી વગેરેના સંશોધન માટે અત્યાધુનિક લૅબ હતી તો ડૉ. અવનિના ઈમેજીંગ સેન્ટરમાં સામાન્ય એક્ષરેથી માંડીને આધુનિક અલ્ટ્રાસાઉન્ડ, સીટી સ્કેન અને દરેક પ્રકારના એમઆરઆઈની સુવિધાઓ હતી.
અવિનાશ સ્ત્રીરોગના નિષ્ણાત-ગાયનેકોલોજીસ્ટ તો અવનિ હતા રેડિઓલોજીસ્ટ. ડો. અવિનાશ ચાલીસી વટાવી ચુકેલા પણ સુંદર ગોરા અને નમણાશ ભર્યા ચહેરા ના લીધે પોતાના મહિલા દર્દીઓ માં ખુબ જ પ્રિય હતા.
ડો.અવની લગભગ ૩૯ વર્ષ ની આસપાસ ના એક આકર્ષક મહિલા હતા. હમેશા લેબકોટ માં સંતાઈ ને રહેતા તેના શરીર ના માદક વળાંકો ના કાયલ હતા તેમના પતિ ડોક્ટર અવિનાશ. ઉમર ની કોઈ અસર તેમના શરીર પર વર્તાઈ હોય તો તે ફક્ત તેમના ગણ્યા ગાંઠ્યા રૂપેરી વાળ ઉપર અને તે પણ તેમની ઠસ્સાદાર શોભા માં અભિવૃદ્ધિ જ કરતા.
થોડા સમય વડોદરા ની વિવિધ હોસ્પિટલમાં બન્નેએ સેવાઓ આપી. ત્યારબાદ પોતાનું જ ફર્ટિલિટિ સેન્ટર સ્થાપવાનું વિચાર્યું. અવનિએ શહેરથી બહાર કુદરતી વાતાવરણમાં સાવ જ અનોખા પ્રકારના કેન્દ્રની દરખાસ્ત મુકી ત્યારે અવિનાશને થોડી શંકા થયેલ કે પેશન્ટ ત્યાં આવશે કે કેમ? પણ એને અવનિમાં વિશ્વાસ હતો. ભરુચ ના ઝાડેશ્વર રોડ થી લગભગ પચ્ચીસેક કિલોમિટરે દશ એકરની વિશાળ જગ્યા પર આજે એમનું ‘અંકુર ફર્ટિલિટિ સેન્ટર’ દેશનું અગત્યનું સ્ત્રીરોગ નિવારણનું અને સંતાન વિહોણા સ્ત્રી-પુરૂષો માટેનું આશિર્વાદ આપનારું એક યાત્રાધામ બની ચુક્યું હતું.
અત્યાધુનિક સારવાર માટે સર્વે પધ્ધતિ અને સાધનોથી સજ્જ એવા આ સેન્ટરની કેટલીય ખાસિયતો હતી. ડૉ. અવિનાશના માર્ગદર્શન હેઠળ ઈન્વિટ્રો, ટેસ્ટટ્યુબ બેબી વગેરેના સંશોધન માટે અત્યાધુનિક લૅબ હતી તો ડૉ. અવનિના ઈમેજીંગ સેન્ટરમાં સામાન્ય એક્ષરેથી માંડીને આધુનિક અલ્ટ્રાસાઉન્ડ, સીટી સ્કેન અને દરેક પ્રકારના એમઆરઆઈની સુવિધાઓ હતી.